ગુરુવાર, 15 માર્ચ, 2012

જાણવા જેવું

 પૃથ્વીનો ઉપગ્રહ : ચંદ્ર
- સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ : બુધ
- પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ : શુક્ર
- સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ : પ્લુટો
- સૌથી વધારે તેજસ્વી ગ્રહ : શુક્ર
- સૌથી ગરમ ગ્રહ : બુધ
- સૌથી વધુ ઠંડો ગ્રહ : પ્લુટો
- રાત્રે લાલ દેખાતો ગ્રહ : મંગળ
- સવારના તારા તરીકે ઓળખાય : શુક્ર
- પૂંછડીયો તારો : ધૂમકેતુ
- ભૂરા રંગનો ગ્રહ : પૃથ્વી
- પૃથ્વીથી નજીકના બે ગ્રહ : શુક્ર અને મંગળ
- જે ગ્રહ પર જીવન છે તે : પૃથ્વી

1. ભારતમાં સૌ પ્રથમ ટીવી ૧૫ સેપ્ટેમ્બર ૧૯૫૯ માં આવ્યું હતું
2. આઝાદી વખતે ભારતમાં ૫૬૨ રાજ્યો હતા.
3. વિશ્વનો પ્રથમ ડીજીટલ કેમેરો ૧૯૮૦ માં જાપાન ની સોની કંપની એ બનાવ્યો હતો .
4. સૌ પ્રથમ સાયકલ ભારત માં ૧૮૯૦ માં બની હતી.
5. સૌ પ્રથમ મોટર સાયકલ ભારત માં મદ્રાસ મોટર્સ કંપની એ એનફિલ્ડ સાયકલસ લીમીટેડ ની ટેકનોલોજી વડે
૩૫૦ સી સી ની ૧૯૫૫ માં બનાવી તે એનફિલ્ડ મોટર સાયકલ હતી.
6. બ્લુટૂથ ની શોધ ૧૯૪૨ માં સ્વીડીશ કંપની એરિક્સન ને બનાવી.
7. ૧૯૨૩ માં કોડક કંપની એ કલર ફિલ્મ શોધી.
8. માનવી ના શરીર માં રહેલી તમામ માંશપેસીઓમાં ફક્ત જીભ જ એવી માંશપેસી છે , જે બંને છેડે બંધાયેલી
નથી.
9. ૧૮૫૯ માં સૌ પ્રથમ દાઢી કરવા સેફટી રેઝેર કિંગ જીલેટ નામના સેલ્સમેન ને શોધી.
10. સ્વીફ્ટ કાર નું વિદેશી નામ કલ્તસ , ક્વોલિસ નું કિઝાંગ , ઈન્ડીકા નું સીટી રોવર છે.
ગુજરાતમાં સૌથી મોટું

મોટું બંદરઃ- કંડલા

મોટું શહેરઃ- [વસ્તી અનુસાર] અમદાવાદ

મોટો જિલ્લોઃ- [વસ્તીમાં] અમદાવાદ

મોટો જિલ્લોઃ- [વિસ્તારમાં] કચ્છ

મોટું રેલ્વેસ્ટેશનઃ- અમદાવાદ

મોટી હૉસ્પિટલઃ- સિવિલ હૉસ્પિટલ [અમદાવાદ]

મોટી ડેરીઃ- અમુલ ડેરી [આણંદ]

મોટી રિફાઈનરીઃ- કોયલી [વડોદરા]

મોટી યુનિવર્સિટીઃ- ગુજરાત યુનિવર્સિટી [અમદાવાદ]

મોટી ઔદ્યોગિક સંસ્થાઃ- રિલાયન્સ

મોટી નદીઃ- સાબરમતી

મોટો મેળોઃ- વૌઠાનો મેળો

મોટું વનસ્પતિ ઉદ્યાનઃ- વધઈ [ડાંગ]

મોટો બંધઃ- સરદાર સરોવર નર્મદા બંધ

મોટો મહેલઃ- લક્ષ્મી વિલાસ પેલેસ [વડોદરા]

મોટું એરપૉર્ટઃ- અમદાવાદ

મોટું સરોવરઃ- નળ સરોવર

મોટી લાઈબ્રેરીઃ- વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી

મોટું મ્યુઝિયમઃ- બરોડા મ્યુઝિયમ

મોટું ખેતઉત્પાદનઃ- ઊંઝા

મોટું ખાતરનું કારખાનું- જી.એસ.એફ.સી.

ઊંચું પર્વતશિખરઃ- ગોરખનાથ [ગિરનાર]

.વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે?
(અ) અમદાવાદ (બ) જામનગર (ક) જુનાગઢ
૨.સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?
(અ) સુરત (બ) ભાવનગર (ક) અમદાવાદ
૩.ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે?
(અ) અલંગ (બ) પોરબંદર (ક) ભરૂચ
૪.ગુજરાતના કયા શહેરમાં સર્વપ્રથમ આકાશવાણી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું?
(અ) વડોદરા (બ) અમદાવાદ (ક) રાજકોટ
૫.ગુજરાતના કયા વૈજ્ઞાનિકે વિશ્વસ્તરે નામના મેળવી હતી?
(અ) ડૉ. હોમીભાભા (બ) ડૉ. વિક્રમ સારાભાઈ (ક) જગદીશચંદ્ર બોઝ

જવાબો : ૧ (બ) ૨ (ક) ૩ (અ) ૪ (અ) ૫ (બ)

ભારતીય પાસપોર્ટ


ભારતીય પાસપોર્ટ મેળવવા માટેના હક્ક અને તેની વ્યવસ્થા
 
ભારતીય નાગરિકને ભારતીય પાસપોર્ટ મેળવવા માટેના બંધારણમાં હક્ક આપેલ છે. જિલ્લાના નાગરિકો સરળતાથી ભારતીય પાસપોર્ટ મેળવી શકે તે માટે પોલીસ અધિક્ષક કચેરીમાં પાસપોર્ટ કલેક્શન સેન્ટર કાર્યરત છે. જેથી જે નાગરિકો પોતાના ભારતીય પાસપોર્ટ મેળવવા માટેની અરજી અમદાવાદ પાસપોર્ટ કચેરીએ આપવા જઈ શકે તેમ ન હોય તો તેઓની અરજીઓ જિલ્‍લા ખાતે સ્વીકારવામાં આવે છે. આ સિવાય જે નાગરિકો પોતાની પાસપોર્ટ માટેની અરજીઓ અમદાવાદ પાસપોર્ટ કચેરીએ આપવા માગતા હોય તેઓ ત્યાં આપી શકે છે.

જિલ્‍લા ખાતે પાસપોર્ટ કલેક્શન સેન્ટરમાં નવા પાસપોર્ટ માટેની અરજીઓ, રિન્યૂઅલ પાસપોર્ટ માટેની અરજીઓ, નાનાં બાળકો માટેની પાસપોર્ટની અરજીઓ સ્વીકારવામાં આવે છે. જ્યારે જે કિસ્સામાં પાસપોર્ટ ખોવાઈ ગયેલો હોય, નુકસાન થયેલ હોય, તેમ જ અન્ય દેશમાંથી પાસપોર્ટ મેળવેલ હોય તેવી અરજીઓ સ્વીકારવાની સત્તા રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ પાસે હોવાથી આ અરજીઓ ડિસ્‍ટ્રિક્ટ કલેક્શન સેન્ટરે લઈ શકાતી નથી.
 
પાસપોર્ટ અરજી અંગેનાં માર્ગદર્શન
 
૧પ વર્ષ સુધીનાં બાળકોને માઇનોર તરીકે ગણવામાં આવે છે અને તેમના પાસપોર્ટ અરજી માટેની ફી રૂ. ૬૦૦/- રાખવામાં આવેલી છે. જ્યારે ૧પ વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિક માટે પાસપોર્ટ માટેની ફી રૂ. ૧૦૦૦/- રાખવામાં આવેલી છે.

પાસપોર્ટ અરજીનું ફોર્મ પોલીસ અધિક્ષક કચેરીના પાસપોર્ટ અરજી કલેકશન સેન્‍ટરેથી અથવા પોસ્ટ ઓફિસ અને ખાનગી એજન્સી મારફતે અથવા પાસપોર્ટ ઓફિસ અમદાવાદથી મેળવવાનું હોય છે. જેની કિંમત સરકારે રૂ. ૧૦/- નક્કી કરેલ છે.
 
ભારતીય પાસપોર્ટ અરજીની સાથે નાગરિકોએ નીચે મુજબના અસલ દસ્તાવેજો તથા તેની ઝેરોક્ષ કોપી-૩ રજૂ કરવાની હોય છે.
 
  • રહેઠાણના પુરાવામાં રેશનકાર્ડ, છેલ્લાં બે વર્ષના લાઇટ બિલ, ટેલિફોન બિલ, બેન્ક પાસબુક, વેરો ભરવામાં આવતો હોય તેની છેલ્લાં બે વર્ષની પહોંચ રજૂ કરવાની રહે છે.
  • જન્મ અંગેના પુરાવામાં સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો. તેમ જ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો જે તે સ્કૂલનું બોનોફાઇડ સર્ટિફિકેટ.
    જે વ્‍યકિતનો જન્‍મ તા.ર૬-૧-૧૯૮૯ માં કે તે પછીથી થયેલ હોય તો તેઓ ફકત મ્‍યુનીશીપલ ઓથોરીટી અથવા જન્‍મ-મરણ નોધણી રજીસ્‍ટર ધ્‍વારા ઇસ્‍યુ કરેલ બર્થ સર્ટીફીકેટ જ માન્‍ય ગણાશે.
  • લગ્ન કરેલ સ્ત્રીઓના કેસમાં મેરેજ સર્ટિફિકેટ અથવા પતિ-પત્નીના જોઇન્ટ ફોટા સાથેની મેરેજ એફિડેવિટ રજૂ કરવાની રહે છે.
  • નાનાં બાળકોના કેસમાં તેઓનાં માતા-પિતા વેલિડ પાસપોર્ટ ધરાવતાં હોય તો તેમના પાસપોર્ટની ઝેરોક્ષ નકલ રજૂ કરવી તેમ જ માઇનોરની એફિડેવિટ તેનાં માતા-પિતાએ રૂ.ર૦/-ના સ્ટેમ્પ ઉપર અંગ્રેજીમાં કરાવી રજૂ કરવાની રહેશે, તેમ જ માતા-પિતાએ તેમના બાળક અંગેનું ડિક્લેરેશન અલગ કાગળમાં આપવાનું રહેશે. (એફિડેવિટનો નમૂનો ફોર્મ-પાછળ અને કરારમાં આપવામાં આવેલ છે).
  • પાસપોર્ટ અરજીની ફી રોકડા રૂપિયામાં સ્વીકારવામાં આવતી નથી, પરંતુ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડિમાન્ડ ડ્રાફ્ટથી સ્વીકારવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈ ફી લેવામાં આવતી નથી.
  • પાસપોર્ટ અરજી અરજદારે જાતે તેમ જ નાનાં બાળકોના કિસ્સામાં માતા-પિતાએ બાળકોને લઈને આવવાનું રહેશે.
  • પાસપોર્ટ અરજી માટે કોઈ એજન્ટ સાથે લઈને આવવાની જરૂર હોતી નથી કે એજન્ટ રોકવાની જરૂર હોતી નથી.
  • જે અરજદારો પાસપોર્ટ ફોર્મ ભરવા અંગે કોઈ જ્ઞાન ન ધરાવતા હોય તેવા અરજદારોને અત્રેથી વિના મૂલ્યે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે.
  • પાસપોર્ટ અરજીઓ રિજિયોનલ પાસપોર્ટ કચેરીની વખતોવખત થતી લેખિત અને મૌખિક સૂચના આધારે લેવામાં આવે છે.
  • અરજદારની અરજી સ્વીકાર્યા પછી જે તે પોલીસ સ્‍ટેશનમાં તપાસણી માટે મોકલવામાં આવતી હોઈ દિન-ર માં તેઓ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હોય તે પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધી પોલીસ ઇન્ક્વાયરી પૂર્ણ કરાવવી.
  • પોલીસ ઇન્ક્વાયરી દરમ્‍યાન પોલીસ તપાસ માટેની કોઈ ફી લેવામાં આવતી નથી તેમ જ એજન્ટને સાથે લઈ જવાની જરૂર હોતી નથી. અરજદાર જાતે જ પોલીસ સ્‍ટેશન જઈને અરજીની તપાસ કરાવી શકે છે.
  • પાસપોર્ટ અરજીની તપાસણી પૂર્ણ થયા પછી પોલીસ રિપોર્ટ પોલીસ અધિક્ષક કચેરીની એલ.આઇ.બી. મારફતે ચકાસણી થઈને રિજિયોનલ પાસપોર્ટ કચેરીએ દિન-ર માં મોકલી આપવામાં આવતી હોય છે, જેથી અરજદાર પોતાની અરજીની તપાસ પૂર્ણ થયા પછી પોતાની અરજી અંગેની વધુ માહિતી મેળવી શકે છે. આ સમયે અરજીનો ફાઇલ નંબર તથા અરજી આપ્યા તારીખ જણાવવામાં આવે તો તેઓને માહિતી આપવામાં સરળતા રહે છે.

( આ માહિતી ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ ની પોલીસ મહાનિદેશકની વેબસાઈટ પરથી માહિતીના વધુ વિસ્તાર ના હેતુથી લીધેલ છે. - સાભાર ગૃહ વિભાગ, ગુજરાત સરકાર) 


ગુના સંદર્ભી જાણવા જેવી માહિતી

(એ) ફરિયાદ -
ગુનાના બે પ્રકાર હોય છે.
    (૧) કોગ્નિઝેબલ ગુનો-
પોલીસ અધિકારના ગુનાને કોગ્નિઝેબલ ગુનો કહે છે જેમાં ગુનાના આરોપીને વગર વોરંટે પકડવાની સત્તા પોલીસ ધરાવે છે.
    (ર) નોન-કોગ્નિઝેબલ ગુનો-
જે ગુનાના આરોપીને પોલીસ કોર્ટની પરવાનગી (વોરંટ) વગર પકડી શકતી નથી તેવા ગુનાને નોન-કોગ્નિઝેબલ ગુનો ગણવામાં આવે છે.
    (૧) કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ-
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીને લેખીત કે મૌખિક રીતે આપી શકાય છે. મૌખિક ફરિયાદ  એ જ વખતે લખીને ફરિયાદીને વાંચી સંભળાવી તેઓની સહી લઈ તેની નકલ ફરિયાદીને વિનામૂલ્યે આપવામાં આવે છે. આવી ફરિયાદ ટપાલ મારફતે પણ મોકલી શકાય છે. આઉટ પોસ્ટમાં પણ આ રીતે ફરિયાદ કરી શકાય છે.
    (ર) નોન-કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ-
નોન-કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી શકાય છે. જેની નોંધ નોન-કોગ્નિઝેબલ ફરિયાદ રજિસ્ટરમાં કરવામાં આવે છે. ગુનો નોંધવામાં આવતો નથી. આવી ફરિયાદની તપાસ કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ કરવામાં આવે છે.
  • દરેક કોગ્નિઝેબલ ગુનાની તપાસની શરૂઆત એફ.આઈ.આર.થી થાય છે.
  • ફરિયાદ ખાસ કરી ભોગ બનનાર અથવા બનાવ વખતે ત્યાં હાજર હોય તેની અથવા ભોગ બનનારનાં સગાં, સંબંધી, મિત્ર કે જે બનાવ વિશે જાણતા હોય તેણે કરવી જોઈએ.
  • ઘણા કિસ્સામાં બિનવારસી લાશ મળે અને તે ગુનાહિત મૃત્યુ હોવાનું ફલિત થાય અને બનાવ અંગે કોઈ ફરિયાદી હાજર ન મળે તેવા સંજોગોમાં પોલીસ ફરિયાદી બને છે.
  • ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ.ને અગર બનાવ સ્થળે હાજર પોલીસ અધિકારીની સમક્ષ કરી શકાય છે.
    ફરિયાદીએ ઘ્યાન આપવાની વિગત-
  • બનાવ બન્યા બાદ તરત જ નજીકના પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ આપવી જોઈએ.
  • ફરિયાદમાં બનાવનું કારણ અને હેતુ જણાવવાં.
  • બનાવ અંગે સત્ય હકીકત જ જણાવવી અને બનાવસ્થળે હાજર સાક્ષીઓની જાણકારી હોય તો તેની વિગત અવશ્ય જણાવવી.
  • બનાવવાળી જગ્યાએ પોલીસ તપાસમાં આવે ત્યાં સુધી જે તે હાલતમાં જાળવી રાખવી.
  • ફરિયાદીએ કરેલ ફરિયાદની વિગત વાંચી, વંચાવી સહી કરવી અને તેની નકલ વિનામૂલ્યે મેળવી લેવી.
  • ફરિયાદીએ જાણી જોઈ ખોટી ફરિયાદ કરી હોવાનું તપાસ દરમિયાન જણાય ત્યારે પોલીસ બી,  ફાઇનલ ભરી ફરિયાદી વિરૂદ્ધમાં કોર્ટની પગલાં લેવાની કાર્યવાહી કરી શકે છે.
(બી) તપાસ -
  • કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ અધિકારી દ્વારા તે ગુનાની તપાસ તરત કરવામાં આવે છે. બનાવવાળી જગ્યાએ જઈ તેનું પંચનામું કરી શાહેદોનાં નિવેદનો લેવાં અને જરૂરત જણાયે ફોરેન્સિક એક્સપર્ટની મદદ પણ લેવામાં આવે અને આરોપી વિરૂદ્ધ પૂરતો પૂરાવો તપાસ દરમિયાન જણાય પછી તે કામે ઇન્સાફ કરવા ચાર્જશીટ કરી કોર્ટમાં મોકલવામાં આવે છે.
  • આવા ગુનાના કામે તપાસ દરમિયાન પૂરતા પૂરાવા ન મળે અથવા આરોપી શોધી શકાય નહીં કે ફરિયાદ ખોટી હોવાનું જણાય, ફરિયાદ દીવાની પ્રકારની જણાય અથવા પોલીસ અધિકાર બહારની જણાય તેવા સંજોગોમાં તપાસ કરનાર અધિકારી તરફથી નીચેની વિગતે જુદી જુદી સમરી માગવામાં આવે છે.
  1. વર્ગ અ સમરી-નજીકના ભવિષ્યમાં આરોપી મળવાની શક્યતા ન હોવાનું જણાય ત્યારે.
  2. વર્ગ બી સમરી-ફરિયાદ ખોટી હોવાનું જણાય ત્યારે.
  3. વર્ગ સી સમરી -હકીકતની ભૂલના કારણે ફરિયાદ થયેલી હોવાનું ફલિત થાય અથવા તપાસના અંતે ફરિયાદની વિગત દીવાની પ્રકારની હોવાનું જણાય ત્યારે.
  4. વર્ગ એન.સી. સમરી -તપાસના અંતે પોલીસ અધિકાર બહારનો ગુનો હોવાનું જણાઇ આવે ત્યારે.
  • ગુનો દાખલ થયા બાદ ૧૪ દિવસ સુધીમાં ગુનાની તપાસ પૂર્ણ કરવાની હોય છે, પરંતુ સમયમર્યાદામાં તપાસ પૂર્ણ ન થાય તેવા સંજોગોમાં ઉપરી અધિકારીશ્રીની મંજૂરી મેળવી મુદતમાં વધારો કરી તપાસ ચાલુ રાખવામાં આવે છે.
  • સી.આર.પી.સી.કલમ-૪૧(ર) હેઠળ પોલીસ વગર વોરંટે પકડવાનો અધિકાર ધરાવે છે. તેવી જ રીતે,
  • કોગ્નિઝેબલ ગુના અટકાવવા સી.આર.પી.સી.કલમ, ૧પ૧ હેઠળ વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા છે.
  • નામદાર કોર્ટે ઇશ્યુ કરેલ ધરપકડ વોરંટના આધારે પોલીસ તે વ્યક્તિની અટકાયત કરી શકે છે. જે વોરંટ જામીનપાત્ર હોય તો શરતોને આધીન રહી તેવી વ્યક્તિને જામીનમુક્ત થવાનો અધિકાર છે. જ્યારે બિનજામીનલાયક વોરંટ અન્વયે ધરપકડ થયેલી વ્યક્તિને ર૪ કલાકની અંદર વોરંટ ઇશ્યુ કરનાર કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહે છે. તેવી જ રીતે વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને પણ ર૪ કલાકની અંદર જે તે હકૂમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે. તપાસ અર્થે આરોપીની પોલીસ કસ્ટડીમાં વધુ સમય માટે જરૂરત જણાય તેવા સંજોગોમાં કોર્ટની પરવાનગી (રિમાન્ડ) મેળવી શકાય છે.
  • ગુનો જામીનલાયક હોય તો પકડાયેલા આરોપીને યોગ્ય જામીન રજૂ કરવાથી જામીન પર મુક્ત કરવામાં આવશે.
  • નામદાર કોર્ટે આપેલી સૂચના મૂજબ કોઈ પણ વ્યક્તિને અટક કરવામાં આવે ત્યારે તેને શા માટે પકડવામાં આવી છે તેની જાણ કરી અટક મેમોમાં તેની સહી લેવી અને પકડાયેલ વ્યક્તિનાં સગાં, સંબંધીને તાત્કાલિક ધરપકડ બાબતે જાણ કરવી. પકડાયેલી વ્યક્તિઓના નામ અત્રેના કન્ટ્રોલરૂમે રાખવામાં આવે છે. રિમાન્ડ દરમિયાન દર ૪૮ કલાકે અટકાયતીની ફરજિયાત મેડિકલ તપાસણી તપાસ કરનારે કરાવવી અને રિમાન્ડ દરમિયાન અટકાયતીને કોર્ટની પરવાનગી પછી જ હાથકડી, રસ્સી પહેરાવી, બાંધી શકાય છે.
    જડતી-
  • સી.આર.પી.સી. ના પ્રકરણ ૭માં જડતી અંગેની સત્તા આપવામાં આવી છે.  જડતીની જોગવાઇ કલમ ૯૩થી ૧૦રમાં આપવામાં આવી છે. તે મૂજબ વોરંટથી કે ઠરાવથી જડતી કરી શકાય છે.
  • મહીલા આરોપીની અંગ જડતી મહીલા પોલીસ પાસે જ કરાવવી અને આ મહીલા આરોપીનો અધિકાર છે.
    મુદ્દામાલ કબજે લેવા અંગે -
  • કેટલાક ગુનાઓમાં ગુનાવાળી જગ્યાએથી તેમ જ મિલ્કત વિરૂદ્ધના ગુનામાં ગયેલો મુદ્દામાલ કબજે લેવાની સત્તા પોલીસ ધરાવે છે. કબજે લેવાયેલા મુદ્દામાલની પાવતીમાં નોંધ કરી તેની એક નકલ જેની પાસેથી મુદ્દામાલ કબજે લીધો હોય તેની આપવી.
    અરજીની તપાસ-
  • અત્રે જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરીમાં અરજી શાખા જિલ્લા પોલીસ અધીક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.
  • અરજદાર પોતાની અરજી પોલીસ સ્ટેશન,પોલીસચોકી, આઉટ પોસ્ટમાં અથવા ઉપરી અધિકારીશ્રીને આપી શકે છે.
  • અરજીની તપાસ સબબ અરજદારને અસંતોષ હોય તો નાયબ પોલીસ અધિકારીશ્રી અથવા જિલ્લા પોલીસ અધિકારીશ્રીને મળી રજૂઆત કરી શકે છે.
  • સામાન્ય રીતે અરજી દિન ૧૪માં પૂર્ણ કરી નાખવાની હોય છે અને તપાસ માટે વધુ સમયની જરૂરીયાત હોય તો ઉપરી અધિકારીની તપાસ કરનારે પરવાનગી લેવાની રહે છે. દરેક પ્રકારની અરજી અરજી શાખા મારફતે તપાસાર્થે મોકલવામાં આવે છે અને તેના આખરી નિકાલની જાણ અરજદારને કરવામાં આવે છે.
    હથિયાર પરવાના અરજી બાબત-
  • હથિયાર પરવાના અરજી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી આવે છે. જે અરજી અન્વયે અત્રે પત્રવ્યવહાર શાખા ટેબલ ઉપરથી કાર્યવાહી કરવામાં આવે છે અને આવી અરજીનો નિકાલ કરવા અન્વયે ગુજરાત સરકારના ગૃહવિભાગ તરફથી પરિપત્ર નં.હપચ/૧૦૭૭/૩૮/૧ર, સ/ તા.૧૪/૧૦/૧૯૭૮થી સૂચના થયા મૂજબની સમયહરોળ દૂર કરવા સૂચન થઈ આવે છે.
  • હથિયાર પરવાના અરજીની પોલીસ તપાસ કરવાના સમયની મર્યાદા ૩૦ દિવસની મુકરર થઈ આવેલ છે.
    કેદીને હાથકડી, બેડી પહેરાવવા બાબત-
  • કોઈ પણ કાચા કે પાકા કામના કેદીઓને કોર્ટમાં કે જેલમાં લઈ જતી, લાવતી વખતે કયા સંજોગોમાં કેદીને હાથકડી કે બેડી પહેરાવવી તે અંગેના સ્પષ્ટ નિયમો છે. કોર્ટના સ્પષ્ટ આદેશો સિવાય કેદીને હાથકડી પહેરાવવામાં આવતી નથી. તેમ છતાં જ્યારે પોલીસ અધિકારીને (એસ્કોર્ટ અધિકારીને) જણાય કે કેદી તોફાન કરે કે નાસી જવાનો પ્રયાસ કરે તેવો છે અને કોર્ટથી હાથકડી પહેરાવવા માટેના આદેશો તાત્કાલિક મેળવી શકાય તેમ નથી ત્યારે વિવેકબુદ્ધિ વાપરી હાથકડી પહેરાવી શકે છે અને આવા કિસ્સાઓમાં તેમણે કરેલી કાર્યવાહી અંગે સ્પષ્ટ કારણો નોંધી ન્યાયાધીશની મંજૂરી લેવાની રહેશે.
  • આ અંગેનો પરિપત્ર અત્રેના તમામ થાણા અધિકારીને પાઠવવામાં આવ્યો છે અને પરિપત્રમાં જણાવેલી સૂચનાનો ચુસ્ત અમલ કરવા જણાવ્યું છે.
    ગામના સરપંચની ફરજો -
  • ગામમાં દીવાની કે ફોજદારી ગુનો બને તેવા બનાવોની જાણ તરત જ પોલીસ સ્ટેશને કરવી જોઈએ.
  • ગામમાં કોઈ વ્યક્તિ અકુદરતી અથવા અકસ્માતથી મૃત્યુ પામે અથવા ગામમાં શબ મળી આવે ત્યારે આઉટ પોસ્ટ અથવા પોલીસચોકી અગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ.
  • ભુગર્ભમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય તેની જાણ પણ પોલીસને કરવી જોઈએ.
  • ગામમાં બે કોમો વચ્ચે કોઈ કારણોસર મનદુઃખ થયેલું હોય તો તેની પણ જાણ કરવી જોઈએ.
  • ગામમાં અનું.જાતિ/અનું.જન જાતિના લોકો સમાજમાં એકસમાન તક સાથે જીવી શકે તે માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરી તેઓ પર અત્યાચાર ન થાય કે તેઓની સાથે આભડછેટ ન રાખવામાં આવે તેની કાળજી રાખવી.
    લાંચરુશવત બાબતે ફરિયાદ -
  • કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ ખાતાના કર્મચારી દ્વારા લાંચરુશવતની માગણી કરવામાં આવે ત્યારે તે વ્યક્તિની વિરૂદ્ધમાં ફરિયાદ કરવા માટે સરકારે લાંચરુશવત વિરોધી ખાતાની રચના કરી છે. જેની મુખ્ય ઓફિસ અમદાવાદ ખાતે આવેલ છે. જેમાં નાયબ પોલીસ અધિકારીશ્રીની કક્ષા ના તથા પોલીસ ઈન્સપેકટર કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. કોઈપણ ખાતાના કર્મચારી વિરૂદ્ધની લાંચરુશવત સંબંધી ફરિયાદ તેઓની પાસે કરી શકાય છે.
  • લાંચરુશવતની ફરિયાદ કોઈ પણ નાયબ પોલીસ અધિકારી અથવા તેનાથી ઉપરના દરજ્જાના અધીક્ષક પાસે પણ થઈ શકે છે.
    ફોન નંબર -
  • અમદાવાદ, એ.સી.બી. ઓફિસ - ર૮૬૯રર૩,ર૮૬૯રર૪
  • અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર એ.સી.બી. ઓફિસ - ૨૩૨૬૧૩૭૩
  • રાજકોટ શહેર, એ.સી.બી. ઓફિસ - રર૪૬પપ,ર૩પ૦૯૯,રર૩૪૯૭
  • જામનગર શહેર, એ.સી.બી. ઓફિસ - રપપ૧૧૭પ
  • મહેસાણા એ.સી.બી. ઓફિસ - ૦૨૭૬૨-૨૨૧૨૨૦
  • પાલનપુર એ.સી.બી. ઓફિસ - ૦૨૭૪૨-૨૫૨૦૦૫
  • હિંમતનગર એ.સી.બી. ઓફિસ - ૦૨૭૭૨-૨૪૦૬૫૭
  • ભૂજ એ.સી.બી. ઓફિસ - ફે-૦૨૮૩૨-૨૫૦૨૫૪
  • સુરેન્દ્રનગર એ.સી.બી. ઓફિસ - ફે-૦૨૭૫૨-૨૮૩૫૫૦
  • જૂનાગઢ એ.સી.બી. ઓફિસ - ૦૨૮૫-૨૬૫૧૩૫૨
  • ભાવનગર એ.સી.બી. ઓફિસ - ૦૨૭૮-૨૪૨૦૯૮૦
  • અમરેલી એ.સી.બી. ઓફિસ - ૦૨૭૯૨-૨૨૨3૦૮
  • વડોદરા એ.સી.બી. ઓફિસ - ૦૨૬૫-૨૪૨3૮૫૦૦
  • નડિયાદ એ.સી.બી. ઓફિસ - ૦૨૬૮-૨૫૫૦૦૫૮
  • ગોધરા એ.સી.બી. ઓફિસ - ૦૨૬૭૨-૨૪૨૮૧૪
  • સુરત એ.સી.બી. ઓફિસ - ૦૨૬૧-૨૪૬૨૭૫૭
  • વલસાડ એ.સી.બી. ઓફિસ - ૦૨૬3૨-૨૫3૧૫૫
  • ભરૂચ એ.સી.બી. ઓફિસ - ૦૨૬૪૨-૨૪૧૬૧૧૧

જુદા જુદા ગુના માટે લાગુ પડતી કલમો.

ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો 
ક્રમ
કલમ
ટૂંક વિગત
 
૧૦૭
કૃત્યનું દુષ્પ્રેરણ
 
૧૧૪
ગુનામાં મદદગારી
 
૧૨૦-B
ગુનાહિત કાવતરું
 
૧૨૪-ક
રાજદ્રોહ
 
૧૪૩
ગે.કા. મંડળી
 
૧૪૭
હુલ્લડ કરવા માટે શિક્ષા
 
૧૬૦
બખેડા માટેની શિક્ષા
 
૧૭૧-છ
ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવુ
 
૧૭૬
માહિતી ના આપવી
 
૧૮૨
ખોટી માહિતી આપવી
 
૧૮૮
રાજ્ય સેવકના હુકમનું પાલન ન કરવુ
 
૨૦૧
પુરાવો ગુમ કરવો
 
૨૧૭
રાજ્ય સેવક કાયદાના આદેશની અવજ્ઞા કરે
 
૨૧૮
રાજ્ય સેવક ખોટું રેકર્ડ-લખાણ બનાવે
 
૨૨૪
કસ્ટડીમાંથી આરોપી નાસી જાય
 
૨૨૫
રાજ્ય સેવકની ફરજમાં ગફલત
 
૨૭૩
ભેળસેળ વાળી વસ્તુ વેચવી
 
૨૭૭
જાહેર જળાશયનું પાણી ગંદુ કરવું
 
૨૯૨
અશ્લીલ પ્રદર્શન કરવુ
 
૩૦૨
ખૂન માટે શિક્ષા
 
૩૦૪
શિક્ષણીય મનુષ્યવધ
 
૩૦૪-ક
બેદરકારીથી મૃત્યુ
 
૩૦૪-B
દહેજ મૃત્યુ
 
૩૦૬
આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા
 
૩૦૭
ખૂનની કોશિશ
 
૩૧૭
બાર વર્ષથી ઓછી વયના બાળકને અરક્ષિત મૂકી દેવો
 
૩૧૮
બાળકનો જન્મ છુપાવવા માટે ત્યજી દેવુ
 
૩૨૪
સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી
 
૩૨૫
સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી
 
૩૨૬
ભયંકર હથિયાર વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી
 
૩૪૧
ગેરકાયદે અવરોધ
 
૩૪૨
ગેરકાયદે અટકાયત
 
૩૫૪
સ્ત્રી પર લાજ લેવાના ઇરાદે હુમલો
 
૩૬૩
અપહરણ
 
૩૬૪
ધન લઈને બંદીને અપાતી મુક્તિ માટે અપહરણ
 
૩૬૫
વ્યક્તિનું અપહરણ
 
૩૬૬
લગ્ન કરવાના ઇરાદે સ્ત્રીનું અપહરણ
 
૩૭૬
બળાત્કાર માટે શિક્ષા
 
૩૭૭
સૃષ્ટિક્રમ વિરુધ્ધના ગુના માટે શિક્ષા
 
૩૭૯
ચોરી માટે શિક્ષા
 
૩૮૦
ખુલ્લા મકાનમાંથી ચોરી માટે શિક્ષા
 
૪૫૪ & ૩૮૦
દિવસની ઘરફોડ ચોરી માટે શિક્ષા
 
૪૫૭& ૩૮૦
રાત્રીની ઘરફોડ ચોરી માટે શિક્ષા
 
૩૯૨
લુંટ માટે શિક્ષા
 
૩૯૪
વ્યથા કરી લુંટ કરવા માટે શિક્ષા
 
૩૯૫
ધાડ માટે શિક્ષા
 
૩૯૯
ધાડ પાડવાની તૈયારી માટે શિક્ષા
 
૪૦૬
ગુનાહિત વિશ્વાસઘાત
 
૪૦૮
ભારવાહક દ્વારા વિશ્વાસઘાત
 
૪૧૧
ચોરીનો માલ રાખવા માટે શિક્ષા
 
૪૧૯
ખોટા નામે ઠગાઈ કરવા બદલ શિક્ષા
 
૪૨૦
ઠગાઈ માટે શિક્ષા
 
૪૨૯
જાનવરોને નુકશાન કરવા બદલ શિક્ષા
 
૪૩૬
ઘર વગેરેને આગથી નુકશાન બદલ શિક્ષા
 
૪૬૧
બંધપાત્રને તોડવું
 
૪૬૫
ખોટો દસ્તાવેજ બનાવવો
 
૪૮૯-ક
બનાવટી નોટ કબજામાં રાખવી
 
૪૯૭
વ્યભિચાર
 
૪૯૮-ક
સ્ત્રીના પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ
 
૫૦૦
બદનક્ષી
 
૫૦૬
જાનથી મારી નાખવાની ધમકી માટે શિક્ષા
 
૫૦૯
સ્ત્રી જ્યાં હોય તે એકલી જગ્યામાં પ્રવેશ કરવા બદલ શિક્ષા
 
૫૧૧
ગુનાની કોશિશ
 બોમ્બે પોલીસ એક્ટની અગત્યની કલમો 
ક્રમ
કલમ
ટૂંક વિગત
 
૧૦૨
જાહેર જગ્યામાં અડચણ
 
૧૦૩
ફૂટપાથ ઉપર અડચણ
 
૧૧૦
જાહેર જગ્યામાં બીભત્સ વર્તન
 
૧૧૬
જાહેર બિલ્ડિંગમા બીડી પીવાની મનાઈ
 
૧૧૭
સજા વિશે
 
૧૧૮
રખડતાં ઢોર બાબતે
 
૧૨૦
કારણ વગર બિનઅધિકૃત પ્રવેશ
 
૧૨૨
રાત્રી દરમિયાન સંતોષકારક જવાબ ના આપવા બદલ
 
૧૩૫
જાહેરનામાનો ભંગ
 
૧૪૨
તડીપાર થયેલી વ્યક્તિને હદમાં પ્રવેશ
 
૧૪૫
પોલીસ કર્મચારીને કારણ વગર ફરજ પર ગેરહાજર રહેવા બદલ
 જુગાર ધારાની અગત્યની કલમો
ક્રમ
કલમ
ટૂંક વિગત
 
૧૨
જાહેરમાં જુગાર રમવા બાબતે
 
૧૨-અ
વરલી મટકાના જુગાર રમવા બાબતે
 
૪ & ૫
ઘરમાં જુગાર રમવા બાબતે
 પ્રોહિબિશન ધારાની અગત્યની કલમો 
ક્રમ
કલમ
ટૂંક વિગત
 
૬૫
ભઠ્ઠીનો
 
૬૬
કબજાનો
 
૮૧
ગુનામાં મદદગારી
 
૮૩
ગુનાનું કાવતરું
 
૮૪
મહેફિલ કેસમાં
 
૮૫-૧-૩
પીવા માટે
 
૮૬
જગ્યા વાપરવા માટે આપે તેને શિક્ષા
 અન્ય ધારાની અગત્યની કલમો 
ક્રમ
કલમ
ટૂંક વિગત
બાળલગ્ન ધારા
 
૩&૪&૫
નાની ઉંમરે છોકરા-છોકરીનાં લગ્ન કરાવે તો છોકરા, છોકરી, માતાપિતા
તેમજ ગોરમારાજને સજાની જોગવાઈ
પ્રાણીઓ પ્રત્યે ઘાતકીપણાનો કાયદો
 
૧૧
પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરવા બાબતે
હથિયાર ધારા
 
૨૫
વગર લાઇસન્સે હથિયારનો ઉપયોગ કરવા બદલ શિક્ષા
 
૨૭
હથિયારનો ગેરકાયદે ઉપયોગ કરવો
 
૩૦
લાઇસન્સનો ભંગ કરવા બદલ શિક્ષા
એક્સપ્લોઝિવ એક્ટ
 
૪ & ૫
સ્ફોટક પદાર્થ ગેરકાયદે કબજામાં રાખવા બદલ
ફોરેસ્ટ ધારા
 
૪૧&૪૨&૬૨
વગર મંજૂરીએ પ્રતિબંધિત એરિયામાંથી જંગલ ખાતાની મિલકત લઈ જવા બદલ
એટ્રોસિટી એક્ટ
 
૩-૧-૧૦
જાહેરમાં અનુ. જાતિ / જનજાતિનું અપમાન કરવા બદલ
 
૩-Z-૫
જાહેરમાં અનુ. જાતિ / જનજાતિ પ્રત્યે ભારે ગુના આચરવા બદલ
માનસિક અસ્થિરતા કાયદો
 
૨૩
માનસિક રીતે અસ્થિર વ્યક્તિને માટે
જુદા જુદા કાયદાઓની અગત્યની જોગવાઈઓ
(૧)  મુંબઈ પોલીસ અધિનિયમ
  • માથા ભારે વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-પ૬
  • દોષિત ઠરેલી વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-પ૭
  • લોકો પ્રત્યે પોલીસની ફરજો, કલમ-૬૬
  • બિનવારસી મિલકત તાબામાં લેવાની સત્તા, કલમ-૮ર
  • રસ્તા ઉપર અડચણ કરવા અંગે કલમ-૯૯થી ૧૦૪
  • સાર્વજનિક જગ્યામાં ત્રાસદાયક કૃત્ય કરવા, કલમ-૧૦પ
  • જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરવું, કલમ- ૧૧૦
  • રસ્તામા આવતા-જતા લોકોને ત્રાસ આપવો, કલમ-૧૧૧
  • સુલેહનો ભંગ કરવાના ઇરાદાથી ગેરવર્તન કરવું, કલમ-૧૧ર
  • રસ્તામાં કે નજીક અપકારક કૃત્ય કરવા, કલમ-૧૧પ
  • જાહેર મકાનમાંની નોટિસનો અનાદર કરવો, કલમ-૧૧૬
  • કલમનો ભંગ કરવા બદલ રૂ. ૧૧૦ સુધી દંડની શિક્ષા થઈ શકે છે, કલમ-૧૧૭, કલમ ૯૯થી ૧૧૬
  • આગના ભયની ખોટી ખબર આપવી, કલમ-૧ર૧
  • અધિકાર વગર હથિયાર બાંધીને ફરવુ, કલમ-૧ર૩
  • મુજબ કરેલા નિયમોનો ઉલ્લઘન કરવા અંગે, કલમ-૧૩૧, કલમ-૩૩
(ર) મુંબઈ નશાબંધી ધારો
  • પરમિટ વગર કેફી પીણું પીવું, કલમ-૧૩૧, કલમ,૩૩ 
  • દેશી-વિદેશી દારૂ કબજામાં રાખવો, કલમ-૬૬(૧)બી, ૬પએઇ
(૩) શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯
  • લાઇસન્સ વગર અગ્નિ શસ્ત્ર ( હથિયાર ) કબજામાં રાખવું, કલમ-રપ(૧-ખ)(ક)
  • લાઇસન્સ વગરની વ્યક્તિ પાસેથી હથિયાર ખરીદવું કે, લાઇસન્સ વગરની વ્યક્તિને હથિયાર વેચવું, કલમ-ર૯(એ)(બી)
નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાઇકો-ટ્રોપીક સબ-સ્ટન્સિઝ એક્ટ ૧૯૮પ
અફીણ ,પોષ ડોડા, ભાંગના છોડ, ગાંજાના છોડ વાવેતર અથવા કબજામાં રાખવા અંગે, કલમ-૧પથી ર૭ તથા ર૭(એ)

ફીક્ષ વેતાન્ધાર્કોને મળેલું વસિયતનામું!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 
Posted by Picasa